શનિવાર, 28 નવેમ્બર, 2009

નવાઈ શું જો કવિ દિલનો હાલ સમજે છે. -મરીઝ

નવાઈ શું જો કવિ દિલનો હાલ સમજે છે,
ફકીર લોક જમાનાની ચાલ સમજે છે.

પરંતુ કહેવાની લજ્જત જવા નથી દેવી,
મને ખબર છે કે એ મારો હાલ સમજે છે.

ખબર ખુદાને કે જન્નતમાં દુ:ખ હશે કેવાં !
કે ત્યાંના લોક મદિરા હલાલ સમજે છે.

ફક્ત હું એમના માટે ગઝલ લખું છું ‘મરીઝ’,
આ ચાર પાંચ જે મારો કમાલ સમજે છે.

- મરીઝ

1 ટિપ્પણી: